અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! યુદ્ધમાં સ્વજનોને જોઇને મારાં અંગો શિથિલ થઇ રહ્યાં છે, મો સુકાઈ રહ્યું છે, હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે તથા મારું મન જાણે ભમે છે. અને હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હું ન તો વિજય ઈચ્છું છું અને ન તો રાજ્ય. ન સુખ પણ.
રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ-સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.